- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
વિસ્થાપીત.. શબ્દ જેટલો નાનો છે સમસ્યા એટલીજ વિકટ છે. રોજગારીની તલાસમાં સ્થળાંતર.. તૂટતા ગામડાઓ કે શહેરીકરણનો વધતો વ્યાપ.. કારણે ગમે તે હોય.. પરંતુ વિસ્થાપીતોની સમસ્યા વિકટ બની છે.. માન્યુ કે વિકાસ અનિવાર્ય છે.. પરંતુ વિસ્થાપીત પણ આજ વિકાસની પેદાસ છે. દેશની કુલ વસ્તીનાં ૩૧.૬ ટકા લોકો શહેરોમાં વસવાટ કરે છે. તેમાંથી મોટા ભાગનાં ઝુંપડપટ્ટીમાં જીવન ગુજારે છે. જે ઝુંપડપટ્ટીને શહેરની સુંદરતા ઉપર દાગનાં રૂપમાં જોવામાં આવે છે…
આ વિસ્થાપીત અનેક રીતે ઉત્પન્ન થાય છે.. દેશમાં અંદાજે ૩૬૦૦ ડેમ આવેલ છે.. તેમાંથી ૩૩૦૦ ડેમ આઝાદી બાદ બંધાણા છે.. આ દરેક ડેમ પાછળ અંદાજે ૨૦ હજાર લોકો વિસ્થાપીત થયા છે.. તેમણે પોતાન ઘર, ગામ, રોજગાર છોડવા પડ્યા.. અંદાજે સાડા સાત કરોડ લોકો તો નહેર બાંધવાના કારણે વિસ્થાપીત થયા.. મોટા ભાગનાં ડેમ યોજનાઓ આદિવાસી વિસ્તારોમાં આકાર પામી.. પરીણામે વિસ્થાપીતોમાં ૪૦ ટ્કા લોકો આદિવાસી છે.. આ વિસ્થાપીતો પાછળ અન્ય કારણો પણ જવાબદાર છે. તમામ આંકડાઓને જોડીઓતો ચોકાવાનર તારણ સામે આવે છે.. કારણ કે આઝાદી મળ્યે ૬૦ વર્ષો તો થયા છે.. પરંતુ આ ૬૦ વર્ષમાં ૩૫ ટકા દેશવાસીઓ વિસ્થાપીત થયા.. દરેકની પાછળ કારણ જુદા જુદા હતા.. પરંતુ વિસ્થાપીતોની સમસ્યા કોમન છે..
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment