- Get link
- Other Apps
- Get link
- Other Apps
આમ આદમી પાર્ટી.. છેલ્લા સમયમાં સૌથી વધારે ચર્ચાયેલ શબ્દ.. પરંતુ આ સફર હવે જુની થઈ ચુકી છે.. પાર્ટીની સભ્ય સંખ્યા એક કરોડને પાર કરી ચુકી છે.. રશીયાની કમ્યુનિસ્ટ પાર્ટીને છોડી દઈએ તો ઈતિહાસમાં આટલી ઝડપી સભ્ય સંખ્યા કોઈની નથી વધી.. પરંતુ આટલી ઝડપથી વધતી સભ્ય સંખ્યા હવે પાર્ટી માટે જ સમસ્યા બની ચુકી છે.. બિલાડાનાં ટોપની જેમ ફુટી નિકળેલા ‘આપ’નાં સભ્યોને લઈને લોકોનાં મનમાં સવાલો થવા લાગ્યા છે. સરવાળે સ્થિતી એવી પેદા થઈ છે કે આ પાર્ટીતો નવી છે.. પરંતુ તેમાં ચહેરાઓ એજ કટાયેલા કાટલા જેવા છે..
માન્યુ કે આ પાર્ટીમાં મોટા ભાગનાં સભ્યો એવા છે કે જે કોઈ રાજકિય પાચ્યાત ભુમિકા ધરાવતા નથી.. સરકારી અધીકારીઓ.. ડોકટર.. એન્જિન્યર.. પ્રોફેસર.. બિજનેશ મેનેજર.. પત્રકારો.. જે પહેલી વાર રાજકીય રીતે સક્રિય થયા છે.. સાચી રીતે જોવા જઈએ તો આજ પાર્ટીની તાકાત છે.. આ લોકો પ્રોફેશ્નલ રાજકારણીઓને પકડાર ફેકી રહ્યા છે. લોકોનો વિશ્વાસ પણ પ્રોફેશ્નલ રાજકીય નેતાઓ ઉપરથી ઉઠી ગયો છે.. સામાન્ય લોકો પણ ઈચ્છી રહ્યા છે કે તેઓ નવા પ્રકારનાં રાજકારમાં સક્રિય થાય.. જેથી આ દેશ ”પૈસા ફેકો સત્તા મેળવો’ એવા રાજકારણમાંથી મુક્ત્ત થઈ શકે.. પરંતુ પ્રશ્ન એ છે કે.. જાહેર સભ્યપદ માટે ઓફર કરતી આ પાર્ટી પ્રોફેશ્નલ રાજકારણીઓને પોતાનાથી અલગ રાખી શકશે.. ગુજરાત પુરતીતો આ ઉમ્મીદ ઠગારીજ નિવડી છે..
આનાં બે કારણો છે.. એક તો ‘આપ’ કેડર આધારીત નહી, પરંતુ માસ પાર્ટી બનવા માગે છે.. જે મુજબ કોઈપણને પાર્ટીનાં સભ્ય બનતા અટકાવવા લોકશાહીનાં સિધ્ધાંત વિરુધ્ધ છે.. બીજુ કારણ છે કે પાર્ટીએ દિલ્હીમાં સફળતા મેળવી છે.. દિલ્હીમાંથી નિકળી પાર્ટી અન્ય શહેરો અને ગામો તરફ નજર કરી રહી છે.. આ સફર માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની જરૂર પડશે. ત્યારે સ્વાભિવક છે કે એવા કાર્યકર્તાઓ પણ જોડાશે જે પહેલા કોઈ અન્ય પક્ષમાં સક્રિય રહી ચુક્યા છે.. આમાંથી મોટા ભાગનાં એવા લોકો છે જેમને અન્ય પક્ષોમાં નિષ્ફળતા મળી હતી.. તેઓ નિરાશ થઈને બેઠા હતા.. એવામાં નવી પાર્ટી આવી.. આ લોકોને લાગ્યુ કે જો આ પાર્ટીની ટીકીટ મળી જાય.. તો જનપ્રવાહનો લાભ લઈને સંસદ કે ધારસભ્ય બની જવાય.. આવા કાર્યકર્તાઓ પાસે પોતાનુ ખાનગી સંગઠન પણ હોય છે.. એટલે જ તો આવા લોકો ઝડપથી પોતાની પકડ બનાવી લે છે.. શક્ય છે કે આમાનાં મોટા ભાગનાં ટિકટ ન મળતા પાર્ટી સાથે પોતાનો છેડો ફાડી લે.. આજ લોકો કાલે પાર્ટીને ગાળો ભાંડતા પણ જુવા મળી શકે છે..
સૌથી મોટી સમસ્યા તો ત્યારે સર્જાય છે, જયારે આ લોકો પાર્ટીમાં રહી જાય.. કારણ કે આ લોકો પોતાની સાથે જુની રાજકીય વિચારધારા લઈને આવ્યા છે.. આજ તો પાર્ટી માટે સૌથી મોટી સમસ્યા છે.. જો આ લોકો અહીં પણ પોતાનાં જુનાં સિધ્ધાંતોનો પ્રયોગ કરવા લાગ્યા તો પાર્ટીનાં માર્ગ પણ ફંટાઈ જશે..
- Get link
- Other Apps
Comments
Post a Comment